Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગોંડલમાં ''સ્વચ્છ ભારત'' લોકજાગૃતિ કાર્યક્રમ

 ગોંડલ : ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જામવાડી દ્વારા ગાંધીજીના સ્વપ્નને પુર્ણ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મિશન અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં સ્વચ્છ ભારતનો હેતુ સિદ્ધ થાય સ્વચ્છતાથી થતા ફાયદાઓ, સ્વચ્છતાનની શા માટે જરૂરીયાત છે વગેરે હેતુઓને લઇને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સબ કુછ સડક પરના ટાઇટલ હેઠળ સ્વચ્છતાનાં ઉદ્દેશ સિદ્ધ કરતું નુક્કડ નાટક ગોંડલના કોલેજ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, અલ્પેશભાઇ ઢોલરીયા, રાજુભાઇ પરમાર તેમજ સ્કૂલનો સ્ટાફ બહોળી સંખ્યામાં ગોંડલના નાગરિકો ઉપસ્થિત રહયા હતા. તેમજ જેલ ચોક ખાતે ફરી વખત સ્વચ્છતા મિશન અંગેનું નુક્કડ નાટક રજુ થશે. કાર્યક્રમમાં જોડાયેલા સ્કૂલના વિદ્યાર્થીઓ,શિક્ષકોની તસ્વીર.

(12:27 pm IST)