Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જામનગર:પગમાં દુખાવાની હોસ્પિટલમાં સારવાર લેતા એસઆરપી જવાનનું મોત:તબીબનો બેદરકારીનો આરોપ

 

જામનગર :પગમાં દુખાવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા એસઆરપી જવાનનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવ્યો છે જામનગર નજીક ચેલામાં એસઆરપી ટ્રેનિગ સેન્ટરમાં ટ્રેનિગ લઇ રહેલા એસઆરપી જવાનને પગમાં દુખાવો થતો હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત નીપજ્યાનો આક્ષેપ કર્યો હતો.

     જાણવા મળતી વિગત મુજબ જસદણના ખડવાવડી ગામમાં રહેતો અને જામનગરના ચેલામાં એસઆરપીની ટ્રેનિંગ લઇ રહેલા અશ્વિન ઓઘડભાઇ માંડાણીને પગમાં દુખાવો થતો હોય 21 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર પાસેથી દવા લીધી હતી. બાદમાં 22 સપ્ટેમ્બરે જીજી હોસ્પિટલમાં દાખલ થયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે મોત નીપજ્યાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો

   ખાનગી હોસ્પિટલના ડોક્ટરે ઇન્જેક્શન આપ્યા બાદ જવાનની તબીયત લથડવા લાગી હતી. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે પગલા ભરવા માંગ કરી છે

(12:34 am IST)