Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જામકંડોરણાઃ ખજુરડા ગામે તળાવમાં ડુબી જતાં યુવાનનું મોતઃ હાહાકાર

જામકંડોરણાઃ તાલુકાના ખજુરડા ગામે ખજુરડા ગામનાં કમલેશભાઇ ગાંગાભાઇ ભારાઇ (ઉ.વ.૨૫) રવિવારે બપોર બાદ તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું હતું. મળતી વિગત મુજબ જામકંડોરણાના ખજુરડા ગામે રહેતા રબારી જ્ઞાતિના કમલેશભાઇ ગાંગાભાઇ ભારાઇ રવિવારે બપોર બાદ પોતાની ભેંસો ચરાવવા ગયેલ હતા ત્યારે ખજુરડા ગમની સીમમાં આવેલ જેતાાડી નામના તળાવમાં પોતાની ભેંસોને બહાર કાઢવા જતા તળાવમાં ડુબી જતા મોત નિપજેલ હતું. કમલેશભાઇ તળાવમાં ડુબી ગયાની જાણ ખજુરડા ગામમાં થતાં ગામના સરપંચ જમનભાઇ ડેડકીયા તેમજ ગામના યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં આ બનાવની જાણ જામકંડોરણા મામલતદાર ઓફીસે કરવામાં આવતાં ગોંડલ નગરપાલિકાની તરવૈયાની ટીમ બોલાવવામાં આવી હતી અને નાયબ મામલતદાર આર.જી.લુણાગરીયા તથા મામલતદાર કચેરીના પ્રશાંત મહેતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાની ટીમે ગામના યુવાનોની મદદથી બે થી અઢી કલાક સુધી શોધખોળ કરી ગત રાત્રીના ૧૧.૧પ  વાગ્યે મૃતકનો પતો લાગતા તેમના મૃતદેહને બહાર કાઢી જામકંડોરણા સરકારી હોસ્પિટલ પી.એમ.અર્થે ખસેડવામાં આવેલ.

(9:54 am IST)