Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કાલે સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન કેશુભાઇ પટેલની નવમી માસિક પુણ્યતિથી નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૮ : શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલની ૯મી માસિક પુણ્યતિથી નિમિત્તે કાલે તા. ૨૯ના સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન સાંસ્કૃતિક ભવન, વેણેશ્વર - પ્રભાસ પાટણ ખાતે આ કેમ્પનું આયોજન થનાર છે. જેમાં નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા સચોટ પરીક્ષણ અને માર્ગદર્શન તથા દવા વિતરણ કરવામાં આવનાર છે.

આ કેમ્પમાં ડો. હિમ્મતભાઇ વોરા, ડો. બાબુભાઇ કાછડીયા, ડો. આર.ડી.સાવલીયા, ડો. ડી.કે.વાજા, ડો. જયદીપ લાખાણી, ડો. મીનલબા વાળા, ડો. વિશ્વરાજસિંહ વાળા, ડો. બાબુભાઇ, ડો. ડી.કે.બારડ સહિતના નિષ્ણાંતોની ટીમ લાભાર્થીઓનું નિરીક્ષણ કરી સચોટ માર્ગદર્શન પુરૃં પાડશે.

કોવિડ-૧૯ ગાઇડલાઇન્સને અનુસરી સોશ્યલ ડિસ્ટન્સ પાલન સાથે માસ્ક પહેરી આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પથ વિજય ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજાનાર છે. કેમ્પનો પ્રારંભ સવારે ૯ વાગ્યે થશે. જેમાં દિપ પ્રાગટય ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા કરવામાં આવશે તેમજ ટ્રસ્ટી - સેક્રેટરી પી.કે.લહેરી ઓનલાઇન આ કાર્યક્રમમાં જોડાશે. સ્થાનિકો તેમજ યાત્રિકોને આ કેમ્પનો લાભ લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટની અપીલ છે.

(11:50 am IST)