Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જૂનાગઢનો બુટલેગર ભવનાથના કોવિડ સેન્ટરમાંથી ફરાર

સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ,તા. ૨૮: જૂનાગઢનો બુટલેગર ભવનાથના કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ જતા દોડધામ મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જૂનાગઢના ગાંધીગ્રામાં રહેતા દારૂના ધંધાર્થી સંજય ડોસાભાઇ કોડીયાતરની પોલીસે પોલીસ પર હુમલા સબબ ધરપકડ કરી હતી.

આ શખ્સનો રિપોર્ટ કરાવવામાં આવતા તેનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેને જૂનાગઢના ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળા ખાતેના કોવિડ સેન્ટરમાં સારવાર માટે બે દિવસ અગાઉ ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાનમાં ગત રાત્રે સંજય કોડીયાતર સનાતન ધર્મશાળા ખાતેના કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતા એસપી સૌરભ સિંઘની સુચનાથી પોલીસ કાફલાએ સીસીટીવીના આધારે સંજય ડોસાની શોધખોળ હાથ ધરી છે.

(4:02 pm IST)