Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

યુટીલીટી હડફેટે હળવદના સરંભડાના બે યુવાનોના મોત

હળવદ તા. ૨૮ : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સીધેશ્વર મહાદેવ મંદિર પાસે જામનગર હાઇવે ઉપર મોડપર ગામ જવાના રસ્તે હિતેશભાઈ ડાયાભાઇ વસાણી ઉ.વ.૩૫ અને વશરામભાઈ શંકરભાઇ સારલા ઉ.વ.૩૫ નામના બે યુવાનો ગઈકાલે બપોરના ઉભા હતા.તે સમયે જી.જે.૩૬ ટી.૩૮૯૭ નંબરની યુટીલીટીના ચાલકે હડફેટે લેતા આ બન્ને યુવાનોના મોત નિપજયા હતા.

હિતેશભાઈ મોડપર ગામે જ રહેતા હતા અને વશરામભાઈ તેમના મિત્ર હતા અને વશરામભાઈ શંકરભાઇ મૂળ હળવદ તાલુકાના સરભંડા ગામના છે અને તેમનું મોડપર ગામે મોસાળ હોય અહીંયા આવ્યા હતા. જયારે હિતેશભાઈની બહેનની પુણ્યતિથિ હોવાથી બટુકભોજન કરવા માટે સમાન લઈને પરત આવતા હતા. ત્યારે આ બે યુવાનો યુટીલિટીની હડફેટે ચડી જતા બન્નેના મોત થયા હતા. મૃતક વશરામભાઈ પરિણીત છે અને તેમના બે સંતોનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(11:58 am IST)