Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસથી વધુ પ પશુઓના મૃત્‍યુ : કુલ મૃત્‍યુ આંક ૧૯: ૬૮ પશુઓ સારવારમાં

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ : લમ્‍પી વાયરસનું સંકમણ વધતા વધુ પ પશુઓના મૃત્‍યુ થયેલ છે આ મૃત્‍યુ થયેલ પશુઓમાં ર ગાય, ર વાછરડા તથા એક આખલાનો સમાવેશ થાય છે. શહેર જિલ્લામાં લમ્‍પી વાયરસથી અત્‍યાર સુધીમાં કુલ ૧૯ પશુઓએ દમ તોડયો છે. લમ્‍પી વાયરસના અત્‍યાર સુધીમાં ૯૬ કેસ થયેલ છે જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં ૬૮ પશુઓ સારવાર લઇ રહ્યા છે. સારવાર દરમિયાન ૭ પશુઓ સાજા થઇ ગયેલ છે રાત્રી દરમિયાન રખડતા પશુઓને લમ્‍પી વેકસીન અપાઇ રહી છે. શહેરમાં અત્‍યાર સુધીમાં રપ૦૦ પશુઓને લમ્‍પી વેકસીન અપાઇ છે.

(1:32 pm IST)