Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બ્રહ્મસમાજ માટે પરશુરામ ધામનું નિર્માણ થશે

૬ વિઘા જમીન ઉપર ૫૦ રૃમ બે હોલ બનશે પૂ. મૂકતાનંદબાપુએ સ્થળની મુલાકાત લીધી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮ : જૂનાગઢમાં સૌપ્રથમ વખત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે ૬ વિઘા જમીન ખરીદી ત્યાં પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવનાર છે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યુ હતુ કે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના નેતૃત્વમાં પુ.મુકતાનંદબાપુના આર્શિવાદ અને પ્રેરણાથી જૂનાગઢ નજીક આવેલ ઇવનગર સોનારડી વચ્ચે પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ૫૦ રૃમ બે હોલ અને સ્કીલ ડેવલપમેન્ટ માટેની તાલીમ સુવિધા આવકાર લેશે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક ટ્રસ્ટી જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર કમલેશભાઇ ભરાડ સહિતના કાર્યકર્તાઓ દ્વારા૨૦૧૭માં ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ કોરોના કાળના બે વર્ષ બાદ કરતા ત્રણ વર્ષમાં ભૂદેવોને સંગઠીત કરવનાનું કાર્ય કર્યું અને શહેરના દરેક વોર્ડમાં સંગઠન મજબુત બનાવી સામાજીક સત્કાર્યો કરવા જોળીયાત્રા શરૃ કરેલ જેને પ્રચંડ આવકાર મળેલ તેમજ કોરોનામાં જીવ ગુમાવનાર દિવંગતો માટે પૂ. મહાદેવપ્રસાદના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરાયું હતું. ઉપરાંત યુવાનો માટે બાળકો માટે સમર કેમ્પ કર્યા બાદ નવરાત્રિ પણ ભવ્ય આયોજન સંપન્ન થયું હતું.

જયદેવભાઇ જોષીએ વધુમાં જણાવેલ કે પરશુરામ ધામ બનાવવાનો વિચાર આવ્યો કે બ્રાહ્મણો અલગ ૮૪ તરગોડમાં જ તેના વિકાસ માટે પ્રયાસ કરતા હતા સમસ્ત પાટીદાર કે સમસ્ત પ્રજાપતિ કે સમસ્ત કોળી સમાજ પાસેથી પ્રેરણા લઇ સમાજ માટે યુવાન તૈયાર કરવા માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનને આ કાર્ય શરૃ કર્યું અને અમારા મિત્ર મંડળ સમક્ષ આ પરશુરામ ધામ બનાવવા માટે વિચાર મુકતા તેમણે જબરો પ્રતિસાદ આપેલ ત્યારબાદ આપતા સૌના આદર્શ પૂ.મૂકતાનંદબાપુ પાસે જઇને આ વાત રજુ કરતા તેમણે રાજીપો વ્યકત કરી રૃડા આશિર્વાદ આપતા આ પરશુરામ ધામનું નિર્માણ થવા જઇ રહ્યું છે. રવિવારે સવારે ૧૧ કલાકે આ જમીન પર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિત ભૂદેવોએ પૂ.મૂકતાનંદબાપનું સ્વાગત કર્યું હતું અને પરશુરામધામ જયા નિમાર્ણાધિન થવા જઇ રહ્યુ છે. તેમાં પૂ. ગોપાલાનંદબાપુની દિવ્ય ચેતના પણ સાગે છે તેમ જણાવી પૂ.મૂકતાનંદબાપુએ ૩૪ લાખની ધન રાશી પરશુરામ ધામના નિર્માણ અર્થે જાહેરાત કરતા સૌએ કૃતજ્ઞતા વ્યકત કરી જય જય પરશુરામના નાદ ના નારા સાથે વધારેલ. પરશુરામ ધામના પરિસરમાં ભવ્ય મંદિર થશે જેમાં પરશુરામ ભગવાન ગાયત્રીમાતા અને મહાદેવની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત આદ્યગુરૃ શંકરાચાર્ય દ્વારા અને પ્રતિમા પણ મુકવામાં આવશે. આ પરશુરામધામમાં સમસ્ત બ્રહ્મસમાજ માટે બનશે.  જેમાં કોઇ પણ તડગોડ બ્રાહ્મણો પોતાના દિકરા દિકરીના લગ્ન સગાઇ જવી ખુશીના પ્રસંગો અદ્યતન સુવિધા મેળવી ઉજવી શકશે.

(1:26 pm IST)