Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જુનાગઢમાં બ્રહ્મ કથાકારોની જ્ઞાનગોષ્ઠી

 જુનાગઢઃ શ્રી ગાયત્રી શકિતપીઠ જુનાગઢમાં તા.૨૬-૬-૨૨ના રવિવારે, 'વૈદિક સનાતનધર્મ'નો કથા દ્વારા પ્રચાર અને પ્રસાર કરતા 'બ્રહ્મનાદ' બ્રહ્મ કથાકારોની સપ્તમ કથાકાર જ્ઞાનગોષ્ઠિ યોજાયેલ. જેમાં પૂ.શ્રી શેરનાથ બાપુ પૂ.દલપતગિરિ સ્વામીજી અને શ્રી બટુક બાપુએ દિપ પ્રાગટય કરેલ. ઉપસ્થિત સર્વે કથાકારોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા. વર્ષમાં બે વાર યોજાતી કથાકાર જ્ઞાનગોષ્ઠિને સફળ બનાવવા ગોપાલ કૃષ્ણ જોશી, આનંદભાઇ પેરાણી, નરેન્દ્રભાઇ જોષી, નરેન્દ્રભાઇ વ્યાસ, શ્રી મનોજભાઇ પુરોહિત, મનોજભાઇ ભટ્ટ (શાપુર) વિપુલભાઇ વેગડા, મોન્ટુભાઇ રાવલે જહેમત ઉઠાવીને સંચાલન અરવિંદભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ.(અહેવાલ-વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(1:25 pm IST)