Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

માટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ ઉજવાશે

( હિતેશ રાચ્‍છ દ્વારા ) વાંકાનેર,તા.૨૮ :  તાલુકાના જગ વિખ્‍યાત યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે  પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ અષાઢી બીજની ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે અષાઢી બીજની પૂર્વ સંધ્‍યાએ તારીખ : ૩૦/૬/૨૨ને ગુરૂવારના રોજ અષાઢી બીજ મહોત્‍સવ નિમિત્તે માટેલ મિત્ર મંડળ, રાજકોટ કોઠારીયા દ્વારા ગાય માતાજીના લાભાર્થે રાત્રે આઠ કલાકે ‘‘માતાજી ના ડાક નો ભવ્‍ય પ્રોગ્રામ''નું આયોજન કરેલ છે જેમાં સૌરાષ્‍ટ્રના પ્રસિદ્ધ કલાકાર શ્રી યોગેશ બેડા રાવળદેવ , શ્રી જીતુભાઈ રાવળદેવ બેડલાવાળા રંગત જમાવશે આ ઉપરાંત અસાડી બીજના પાવન પર્વે ‘‘બાવન ગજની ધજારોહણવિધિ''  માટેલ મંદિર દ્વારા સવારે થશે તેમજ અષાઢી બીજ માટેલધરા ખાતે માતાજીના દરબારમાં અસંખ્‍ય ભાવિકો દ્વારા ધજા ચડાવાય છે અને પ્રતિ વર્ષ દૂર દૂર થી અષાઢી બીજના રોજ માટેલધરા ખાતે યાત્રિકો માતાજીના દર્શનાથે આવે છે અને માતાજીના દર્શન કરીને માટેલ ધરાનુ પવિત્ર જળ લઈ ધન્‍યતા અનુભવે છે તેમજ હજારો ભાવિકો ભોજનાલયમા માતાજીનો મહાપ્રસાદ લ્‍યે છે  જ્‍યાં ધજા ફરકે છે ધર્મની એવા માટેલ રૂડા ધામમાં કાયમ માટે બંને ટાઈમ યાત્રિકો માટે મહા પ્રસાદ ચાલુ જ છે તેમજ વિના મુલ્‍યે રહેવાની સગવડ પણ યાત્રિકો માટે છે માટેલધરાનો અનોખો મહાત્‍મ્‍ય છે અષાઢી બીજના રોજ માતાજીના નિજ મંદિરમા અનોખા ફૂલોનાં શણગાર દર્શન કરવામાં આવશે સર્વ ભાવિકોને પધારવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તથા શ્રી વિશાલભાઈ ની યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)