Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્‍યાઓથી ઘેરાયેલી પ્રજાને ન્‍યાય અપાવવા માટે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૮ : કેન્‍દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્‍યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્‍ત બનેલી છે. પ્રજાᅠ વીજળી,ᅠ મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્‍યાઓથી ઘેરાયેલી છે.ત્‍યારે હંમેશની જેમ સત્‍ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકાર ના જન વિરોધી,નવયુવાનો વિરોધી નિર્ણયો સામેᅠ પ્રજાનો અવાજ બુલંદ કરે છે.

ત્‍યારેᅠ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખᅠ જગદીશ ભાઇ ઠાકોરની સૂચનાથી જુનાગઢનાં ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલની આગેવાનીમાં મહીલા કોંગ્રેસ પ્રમુખ, NSUI, શહેર કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો એ અહિસંક અને શાંતિપૂર્વકᅠ ધરણા-વિરોધ પ્રદર્શન કરવામા આવ્‍યું હતું. તેમ અમીત પટેલᅠ પ્રમુખᅠ શહેર કોંગ્રેસ સમિતિ જુનાગઢ એ જણાવ્‍યું છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(10:30 am IST)