Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જય દ્વારકાધીશ.... અમીતભાઇ શાહ અને તેમના ધર્મપત્‍ની દ્વારકાધીશ ભગવાનના દર્શને : પૂજન - અર્ચન અને ચરણપાદુકાનું પૂજન

 

દ્વારકા : કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને તેમના ધર્મપત્‍ની આજે દ્વારકાધીશ ભગવાનના દર્શને આવ્‍યા હતા. ૧૦ મિનિટના ટુંકા રોકાણ દરમિયાન શ્રી અમિતભાઇ શાહે દ્વારકાધીશ ભગવાનનું પૂજન - અર્ચન તથા ચરણપાદુકાનું પૂજન કરીને ધન્‍યતા અનુભવી હતી. પૂજારી નૈનાજીએ તેમને ઉપવષા આપીને આશિર્વાદ પાઠવ્‍યા હતા. તેમજ મહાપ્રસાદ અર્પણ કર્યો હતો. શ્રી અમિતભાઇ શાહના આગમનને લઇને મંદિરને સુશોભિત કરવામાં આવ્‍યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(3:23 pm IST)