Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સાવરકુંડલા-તાલુકામાંથી ૬પ બસોમાં લોકો આટકોટ નરેન્‍દ્રભાઇને સાંભળવા પહોંચ્‍યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૮: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ સંચાલીત શ્રી કે.ડી.પરવાડીયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલના લોકાર્પણ પ્રસંગે આવ્‍યા છે. ત્‍યારે જીલ્લા ભાજપ અધ્‍યક્ષ કૌશીકભાઇ વેકરીયા અને સાંસદ નારણભાઇ કાછડીયાના માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ સાવરકુંડલા તાલુકા અને શહેરમાંથી ઐતિહાસિક કુલ ૬૫ જેટલી બસો પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં આવી છે અને જેમાં બહોળી સંખ્‍યામાં  મહિલાઓ પણ જોડાઇ છે.
પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઇ પાનસુરીયા અને શરદભાઇ પંડયા, સાવરકુંડલા  ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમીતીના ચેરમેન દિપકભાઇ માલાણી, જીલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન શ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા ભાજપ પ્રમુખ જીવણલાલ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, તાલુકા પંચાયત પ્રમુખ અનીતાબેન લલીતભાઇ બાળધા, નગર પાલીકા પ્રમુખ તૃપ્તીબેન રાજુભાઇ દોશી, તાલુકા ભાજપ મહામંત્રીઓ નીતીનભાઇ નગદીયા અને ચેતનભાઇ માલાણી, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા  અને શ્રી વિજયસિંહ વાઘેલા, જીલ્લા પંચાયત સભ્‍યો શારદાબેન લાલજીભાઇ મોર, શરદભાઇ ગોદાણી અને શ્રીમતી હેમાક્ષીબેન રાણાભાઇ રાદડીયા, પ્રદેશ કિશાન મોરચા કારોબારી સભ્‍ય ભનુભાઇ ચોવટીયા, તાલુકા મહીલા મોરચા પ્રમુખ વર્ષાબેન દુધાત, શહેર મહિલા મોરચા પ્રમુખ અરૂણાબેન ખોલકીયા, મહામંત્રી હિતુષાદીદી, નગર પાલીકા દંડક મંનજુલાબેન ચિત્રોડા સહીતના પદાધિકારીશ્રીઓ અને કાર્યકરો રાત-દિવસ જહેમત ઉઠાવી રહયા હતા.

 

(11:43 am IST)