Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સોમનાથ શનિ દેવ મંદિરે સોમવારે ભકિત અને આસ્‍થા સાથે શનિ જયંતિ ઉજવાશે

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૮ :.. માનવ કર્મના ન્‍યાયાધીશ સૂર્યપુત્ર શનિ દેવની જયંતિ તા. ૩૦-પ સોમવારના હોઇ જેથી સોમનાથ-પ્રભાસ પાટણના ગુડલક-ગુરૂકુળ સર્કલ પાસે આવેલ શનિ મંદિરે શ્રધ્‍ધા-આસ્‍થા અને અનેરા ઉત્‍સાહ સાથે શનિ જયંતિ ઉજવાશે.
મંદિરના મહંત હરિનારાયણ ગીરીજીએ આ અંગે જણાવ્‍યું કે, વહેલી સવારે પાંચ વાગ્‍યે મંદિરમાં આરતી-પૂજા થશે અને સવારે સાડા આઠ વાગ્‍યે ધજારોહણ અને સવારે ૧૧-૩૦ કલાકે મહાભંડારાનું આયોજન કરાયું છે.
તેમજ સાંજે સાડા સાત વાગ્‍યે પૂજા - આરતી અને હવન યોજાશે અને રાત્રીના ૧ર વાગ્‍યે પ્રસાદ વિતરણ કરાશે.
વહેલી સવારથી મોડી રાત્રી સુધી આ શનિ મંદિરે ભાવિકો-દર્શનાર્થીઓ શનિ જયંતિએ ઉમટે છે અને દેવ દર્શન સાથે અનુષ્‍ઠાનો કરે છે.

 

(10:31 am IST)