Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભાવનગરમાં ભવનાથ મહાદેવજી મંદિરની દાનપેટી ઉઠાવી જઇને ૧૦ હજારની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ :  ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોનીમાં આવેલા ભવનાથમહાદેવજી મંદિરના ગર્ભગૃહના દરવાજા તોડી બે અજાણ્‍યા શખ્‍સો અંદર પ્રવેશ્‍યા હતા અંદર પ્રવેશી ગર્ભગૃહમાં રખાયેલ આખીયે દાનપેટી ઉઠાવી મંદિરની પાછળ ગયા હતા.
મંદિરની પાછળના ભાગે બંને અજાણ્‍યા શખ્‍સોએ દાનપેટી તોડી દાનપેટી માં રાખેલા રોકડા રૂપિયા ૯૫૦૦ની ચોરી કરી નાસીᅠ છૂટયા હતા.
આ બનાવ અંગે ભવનાથ મંદિરના ટ્રસ્‍ટી બાબુભાઈ હીરાભાઈ ઘેલાણીએ ડી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:29 am IST)