Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબીના યુવા અગ્રણીએ ગીર સોમનાથ જીલ્લાના શહીદ પરિવારને ૧ લાખની આર્થિક મદદ કરી

મોરબીના યુવા અગ્રણી શહીદ પરિવારોને રૂબરૂ મળીને આર્થિક સહાય કરી રહ્યા છે જેમાં તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાના શહીદ જવાનના પરિવારને એક લાખની રકમ અર્પણ કરી હતી
ગીર સોમનાથ જીલ્લાના રહીજ ગામના વતની વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા (ઉ.વ.૩૨) જયપુર ઘોડેસવારીમાં શહીદ થયા હોય જેથી શહીદ પરિવારને મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા રૂબરૂ મળીને ૧ લાખની રકમ અર્પણ કરી હતી અને માં ભારતીનું ઋણ અદા કર્યું હતું

(8:53 pm IST)