Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ચોટીલામાં માનસિક બિમારીને કારણે કમાભાઇ રાઠોડનો સળગીને આપઘાત

રાજકોટ તા. ૨૮: ચોટીલામાં બસ સ્ટેશન પાસે મારૂતિ સોસાયટીમાં રહેતાં કમાભાઇ મુળુભાઇ રાઠોડ (ઉ.૪૭)એ સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કમાભાઇએ શનિવારે રાત્રે શરીરે કરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતકને માનસિક બિમારી હોઇ તેના કારણે આ પગલુ ભરી લીધુ હતું. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૬)

 

(10:49 am IST)