Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સુરેન્દ્રનગર ટાવર ચોકમાં નળ અને ગટરના પાણી ભેગા થઇ જતા રોગચાળો

વઢવાણ તા.૨૮: સુરેન્દ્રનગર ટાવર પાસેના વિસ્તાર ઘાંચીવાડ જયા ગટર અને નળના જોડાણ વચ્ચે જાણે કે તંત્ર દ્વારા બન્ને ના સ્નેહ મિલન કરાવ્યા હોય એમ ગટરના પાણી અને નળનું કનેકશન બંન્ને ભેગા જોવા જાણવા મળી રહયા છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના ઘાંચીવાડ ના નાકા પાસે આ નળકનેકશન અને ગટર બંન્ને ભેગા કનેકશનના કારણે દુગંર્ધયુકત પાણી આ લતામાં આવી રહયું છે. લોકોના ઘરમાં આવા આવતા જળના કારણે કોલેરા,ટાઇફોઇડ અને કમળા જેવા રોગને આમંત્રણ આપતા આ પાણીની લાઇન તપાસી અલગ અલગ વ્યવસ્થા કરવા આ વિસ્તારના લોકોએ લોક માંગ ઉઠાવી છે. (૧.૨)

(10:43 am IST)