Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ધોરાજીના હડમતીયામાં આહિર અગ્રણીના માતુશ્રીનું નિધન થતા

ટેલીફોનિક સંદેશા વ્યવહાર થકી બેસણું કરાયું

ધોરાજી,તા.૨૮: હડમતીયા ગામના આહીર સમાજના અગ્રણી વિપૂલ ભાઇ ચાવડાના માતુશ્રી  જીવતીબેનનું અવસાન થતા સમાજ ને કોરોના ની મહામારીમાં બચાવવા માટે રોગનો પગપેસારો અટકાવવા માટે સ્વ .જીવતી બેન ચાવડાનીઙ્ગ લૌકિક ક્રિયા બંધ રાખીનેઙ્ગ તેમના ઘરે મોઢે જવાનું બંધ રાખેલ છે. બેસણું પણ ટેલીફોન મોબાઈલ સંદેશા વ્યવહાર થકી કરી ને સમાજ કુટુંબીજનો,ગામજનોને કોરોનો રોગ સામે જાગૃત રહેવા અપીલ કરાઈ છે.

આ અંગે હડમતીયાના સરપંચ રસીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે હડમતીયાના વિપુલ ભાઇ ચાવડાના માતુશ્રીનું અવસાન થતા તમામ લોકીકવિધી બંધ રાખેલ છે લોકો એ ગામજનો કુટુંબીજનોએ મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર કરીને દિલસોજી પાઠવીને પરીવારજનોને સાંત્વના પાઠવી હતી.

(1:07 pm IST)