Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મોટો પુત્ર સુરત હોવા છતાં લોકડાઉનના લીધે નાના પુત્રે માતાની અંતિમ વિધિ કરી

પાલીતાણાના જાંબાળી ગામની ઘટનામાં સરાહનીય નિર્ણય

ભાવનગર તા.૨૮:પાલિતાણા તાલુકાના જાંબાળી ગામના વતની પત્રકાર અરવિંભાઈ રાઠોડ હાલ સુરત છે. તેમના માતા સોનાબેન રાઠોડનું સામાન્ય ટૂંકી બીમારી બાદ અવસાન થયું, જો કે સુરત તેઓ હતા અને તેમના નાના ભાઈ ગામડે હતા આવા સંજોગમાં ઁજો કે અંતિમયાત્રા માં સરકાર દ્વારા છૂટ્ટી આપવામાં આવી છે આમ છતાં પોતે સુરત રહેશે, તેમના પરીવાર ના જે સભ્યો છે તેઓ પણ સુરત રહેશે અને કોઈ સગા સંબંધીઓને બોલાવ્યા વીના જ કુટુંબ ના આંઠ દસ લોકો અને તેમના નાના ભાઈ દ્વારા માતાની અંતિમ વિધિ કરવામાં આવી.

તેમના નાના ભાઈએ જણાવ્યું હતું કે જે બનવાનું હતું એ બની ગયું પરંતુ તેમના સમાજમાં અંતિમયાત્રા. આ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેના કારણે કોરોના સંક્રમણ વધી શકે છે, આવા સંજોગોમાં લોકોને સંદેશ આપવા અને કોરોના સામેની લડાઈમાં સહભાગી થવા તેમને આ નિર્ણય લીધો છે, અને સમાજના દરેક લોકો, સગા સંબંધી ને પણ વિનંતી કરી કે તેઓ ટેલિફોન લૌકિક કામ કરે.

(11:58 am IST)