Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મોવિયાધામના મહંત ભરતબાપુની પ્રેરણાથી અનાજની કીટનું વિતરણઃ

ગોંડલ : મહામારી કોરોના વાયરસ ના કારણે ઉભી થયેલી લોક ડાઉન ની સમસ્યાઓના નિવારણના ભાગ રુપે,સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યાના મોવિયાધામના પુ. મહંતશ્રી ભરતબાપુની પ્રેરણાથી અતી ગરીબ પ્રજાજનો માટે ૨૦ દિવસ ચાલે એટલુ, ૨૦કી. અનાજ, કઠોળ, તમામ પ્રકારનુ કરીયાણુ,હળદર, મીઠુ,મરચુ,તેલ સાબુ, ચા વગેરેની કીટ તૈયાર કરીને અલ્પેશબાપુ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ડોર ટુ ડોર આ કીટનુ વીનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. જે  તસવીર. (તસ્વીર હરેશ ગણોદીયા ગોડલ)

(11:56 am IST)