Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વિર સાવરકરજીની પુણ્યતિથી નિમિતે કચ્છ ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ

 ભૂજ તા.૨૮ : સ્વતંત્ર સેનાની એવા મહાન ક્રાંતીકારી વિર સાવરકરજીની પુણ્યતિથી નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા  જિલ્લા ભાજપ કાર્યાલયે ભુજ મધ્યે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. સવારે સૌપ્રથમ જિલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિર સાવરકરજીને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. આ અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવેલ કે, ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના એવા સાવરકરજી એક પ્રખર રાષ્ટ્રવાદી નેતા પણ હતા તે ઉપરાંત તેઓ મહાન ક્રાંતીકારી, સિધ્ધ હસ્તલેખક, પ્રખર વકતા અને દુરદર્શી રાજનેતા પણ હતા. વધુમાં તેઓએ જણાવેલ કે, તેઓના જીવનમાંથી અને બલિદાનમાંથી આપણે પણ સૌ શીખ લઇ અને તે દિશામાં આગળ વધીએ અને સાવરકરજીને સાચી શ્રધ્ધાંજલી આપીએ.

આ કાર્યક્રમમાં ભૂજ ન.પા. પ્રમુખ લતાબેન સોલંકી, ભુજ તાલુકા પ્રમુખ ધનજીભાઇ ભુવા, ભુજ શહેર મંત્રી અનિલભાઇ છત્રાળા, ઘનશ્યામભાઇ ઠકકર, ભૂજ શહેર સંગઠનના બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, ભાવેશભાઇ ઠકકર, શિતલભાઇ શાહ, કાસમભાઇ કુંભાર, મંદાબેન પટણી, હસ્મીતાબેન ગોર, ભૂજ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ પ્રજાપતિ, જયંત ઠકકર, અનવર સોડે સહિત શહેર સંગઠન હોદ્દેદારો ન.પા. કાઉન્સીલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ મિડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠકકરની યાદીમાં જણાવાયુ હતુ.

(12:01 pm IST)