Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ખાંભાના બોરાળામાં પડી પડી જતાં ઇજાઃ પાર્વતિબેનનું મોત

રાજકોટ તા. ૨૮: અમરેલીના ખાંભા તાબેના બોરાળા ગામે રહેતાં પાર્વતિબેન જાદવભાઇ મકવાણા (ઉ.વ.૪૦) ગઇકાલે સવારે ઘરે ચક્કર આવતાં પડી જતાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ખાંભા, અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)