Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સોમનાથમાં પત્રકાર દિપકભાઇ કક્કડની સુપુત્રીના લગ્નોત્સવમાં મહાનુભાવોનો મેળાવડો

વેરાવળ : ગં.સ્વ.દમયંતીબેન વૃ્રજલાલ કકકડના સુપુત્ર દીપકભાઈ કકકડ  અ.સૌ.કલ્પાનાબેનની સુપુત્રી દીશાના લગ્ન જુનાગઢ નિવાસી ચિ. પ્રતિક પોપટ સાથે યોજાયેલ હતા તેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીને આર્શિવાદ પાઠવેલ હતા. સોમનાથ સાગરદર્શન ખાતે ઉજવાયેલ લગ્નપ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સચીવ પી.કે.લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જુનાગઢ જીલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરૂ શ્રી માધવરાયજી મહારાજશ્રી, માં બાપને ભુલશો નહી દીકરી વ્હાલનો દરીયો ફેઈમના અશ્વીનભાઈજોષી, કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, કથાકાર મીરાબેન ભટ્ટ, રામભાઈ ચમ, ચીફ ઓફીસર જતીનભાઈ મહેતા, જીલ્લાભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, જગમાલભાઈ વાળા, હરેશભાઈ કકકડ, બીપીનભાઈ અભાણી, અમીત ઉનડકટ, સાસણથી બીમલદાસબાપુ, જયકરભાઈ ચોટાઈ, અકીલા પરીવારના તુષારભાઈ ભટ્ટ, શરૂઆત દૈનિકના અલ્પાબેન ઉનડકટ, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના જગદીશભાઈ વૈદ્ય, ગુજરાત વૈભવના કમલભાઈ પટેલ, દીપકભાઈ પંચોલી, ધર્મેન્દ્રભાઈગૌર, અમેરીકાથી શોભના કારીયા, પ્રિતિબેન ઠકરાર સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને નવદંપતીને આર્શિવાદ આપેલ હતા તેમજ સંતશ્રી મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, ગીરીબાપુ, જીગ્નેશદાદા તેમજ બગદાણાથી મનજીદાદાએ નવદંપતીને આર્શિવાદ પાઠવેલ હતા.

(3:55 pm IST)