Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

શાપર-વેરાવળમાં મકાન ખાલી કરવા પ્રશ્ને રતનસીંગ રાજપૂતને પાંચ શખ્સોએ માર માર્યો

સલીમ, ઇમ્તીયાઝ, યુનુસ, અબ્બાસ, અને ઇકબાલ સામે રાયોટનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ર૮ :.. શાપર-વેરાવળ સર્વોદય સોસાયટી મારૂતીનગરમાં મકાન ખાલી કરાવવા બાબતે બીહરી યુવાનને પાંચ શખ્સોએ માર માર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં મારૂતીનગરમાં રહેતા બીહારી યુવાન રતનસિંગ બચુભાઇ ચંદ્રવંશી (ઉ.૪૬) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે મારૂતીનગરમાં રહેતો સલીમ, ઇમ્તીયાઝ, યુનુસ, અબ્બાસ અને ઇકબાલ સહિત તેની પાસે આવી મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી કરી લાકડી તથા છરી વડે હૂમલો કર્યો હતો. અને બેબીબેન પર પણ છરી વડે હૂમલો કરી ઇજા કરી હતી. આ બનાવ અંગે શાપર- પોલીસે રતનસીંગ રાજપૂતની ફરીયાદ પરથી પાંચેય શખ્સો વિરૂધ્ધ રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ એમ. આર. ગોંડલીયાએ તપાસ આદરી છે. (પ-૩૧)

 

(11:42 am IST)