Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ભાવનાબેન ચીખલિયા ફોઉન્ડેશન સંચાલિત ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ-જુનાગઢ ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ડો. ડી.પી. ચીખલિયાના માર્ગદર્શન હેઠળ ઉજવણી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮

ભાવનાબેન ચીખલિયા ફોઉન્ડેશન સંચાલિત ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ-જુનાગઢ ખાતે તારીખ:-૨૬/૦૧/૨૦૨૩ ના રોજ ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફોઉંન્ડેશનના પ્રમુખ તથા ત્રિમૂર્તિ હોસ્પીટલના એમ.ડી. ડો. ડી.પી. ચીખલિયા ળ ના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. આ પર્વમાં હોસ્પીટલના તમામ ડોકટરો , નર્સિંગ સ્ટાફ તેમજ ફોઉંન્ડેશનના સભ્યો તથા દર્દી દેવોના સગા-વહાલા પણ જોડાયા હતા .  અને ડો. અમીત ભુવા તથા ડો. પ્રતિક ટાંક દ્વારા સલામી આપીને રાષ્ટ્રગાન ગવાયું હતું. ત્યારબાદ એસ્કોર્ટ આપનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

સમગ્ર કાર્યક્રમ ડો. ડી .પી. ચીખલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે  એચ.આર. ડીપાર્ટમેન્ટના આદિત્ય મેહતા તથા પી.આર.ઓ મનીષાબેન કોયાણી દ્વારા જેહમત ઉઠાવાઈ હતી.

 

(4:42 pm IST)