Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદરના કીર્તિમંદિરે સોમવારે ગાંધી નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થના સભા

પોરબંદર તા. ર૮ : મહાત્‍મા ગાંધી નિર્વાણ દિન તા.૩૦ મીએ સોમવારે કીર્તિમંદિરે સાંજે પાંચ વાગ્‍યે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

દરવર્ષની પ્રણાલી અનુસાર મહાત્‍મા ગાંધી નિર્વાણદિન તા.૩૦ ને સોમવારના રોજ સાંજે પ કલાકે પૂ. મહાત્‍મા ગાંધી જન્‍મસ્‍થળ, કીર્તિમંદિર, ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ છે. જે પ્રાર્થનાસભામાં સર્વે નાગરીકો તથા જનસમુદાયને ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ તેમજ કોરોના મહામારીના કારણે સોશ્‍યલ ડીસ્‍ટેન્‍સની ગાઇડલાઇન મુજબ બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ હોય, જે મુજબ સ્‍થાન ગ્રહણ કરવા કિર્તિમંદિર સંચાલન સમિતિ અને નાયબ કલેકટરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છેે.

(1:24 pm IST)