Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વાંકાનેરમાં અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘમાં પ્રમુખ-ઉ.પ્રમુખ સહિતના હોદેદારોની નિમણુક

પ્રમુખ તરીકે જાડેજા રાજેન્‍દ્રસિંહ પ્રભાતસિંહ (રાજભા) ઓમ લેબવાળા મહામંત્રી જાડેજા, બલભદ્રસિંહ રણજીતસિંહ સહિત પાંચ ઉ.પ્રમુખોની બીનહરીફ વરણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા ૨૮ : તાજેતરમાં અહીની પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડીંગ ખાતે રાજપુત સમાજની મીટીંગ યોજવામાં આવી હતી. તેમાં વાંકાનેરમાં અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેરના હોદેદારોની સર્વાનુમતે  વરણી કરવામાં આવી હતી

તેમાં પ્રમુખ પદે જાડેજા રાજેન્‍દ્રસિંહ પ્રભાતસિંહ (રાજભા લેબવાળા) તેમજ મહામંત્રી પદે જાડેજા બલભદ્રસિંહ રણજીતસિંહની નિમણુંક કરાય હતી. આ ઉપરાંત પાંચ ઉ.પ્રમુખોમાં (૧) જાડેજા વિરેન્‍દ્રસિંહ ફતેહસિંહ, (૨) વાળા યોગીરાજસિંહ દિલુભા, (૩) ઝાલા સહદેવસિંહ સી. (૪) ઝાલા કૃષ્‍ણસિંહ અશોકસિંહ, (૫) ઝાલા પરાક્રમસિંહ એમ. ઉપરાંત પાંચ સહમંત્રી પાંચ સંગઠનમંત્રી તથા ખજાનચી પદે ઝાલા વાસુદેવસિંહ રામસિંહ અને ઝાલા યશપાલસિંહ ખુમાનસિંહની વરણી કરવામાં આવી હતી. તેમજ સોશ્‍યલ મીડીયા ઇન્‍ચાર્જ તરીકે જાડેજા હરપાલસિંહ ઘનશ્‍યામસિંહ અને ઝાલા હરદેવસિંહ બી.ની નિમણુંક કરવામાં આવી હતી.

ઉપસ્‍થિત તમામ હોદેદારોની વરણી બાદ સમાજના અગ્રણીઓ, આગેવાનો સમાજના મોભીઓ દ્વારા નવનિયુકત હોદેદારનું ફુલહાર તથા સાલ ઓઢાળી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા

(10:45 am IST)