Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૫૧ કેસની સામે ૧૦૮ લોકો સાજા થયા

કોરોના હાંફી જતા લોકોમાં રાહત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા માત્ર ૫૧ કેસ નોંધાયા હતા. જેમા ૨૪ કલાકમાં નવા કેસ નોંધાયા એના કરતા બમણા દર્દી સાજા થયા હતા.

ગઈકાલે જૂનાગઢ સીટીમાં ૧૫ તથા જૂનાગઢ-કેશોદ તાલુકામાં સાત-સાત, વંથલી-વિસાવદરમાં છ-છ, માણાવદર-પાંચ, ભેંસાણ તથા માંગરોળમાં બે-બે મળી કુલ ૫૧ નવા કેસની એન્ટ્રી થઈ હતી.

જો કે રાહતની વાત એ રહી હતી કે નવા કેસ કરતા બમણા ૧૦૮ દર્દી સાજા થયા હતા. જેમાં જૂનાગઢ સીટીના ૭૦, કેશોદ-૧૧, વિસાવદર-૧૨, માણાવદર ૮ અને જૂનાગઢ ગ્રામ્યના ૭ મળી કુલ ૧૦૮ દર્દીએ કોરોનાને હરાવ્યો હતો.

(12:48 pm IST)