Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબીના ભરતનગર અને જેતપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજ્યમંત્રી હસ્તે એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કરાયું.

મોરબી :રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક-એક એમ્બ્યુલન્સ અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી છે.
મોરબીના ભરતનગર તેમજ જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ની અસરને નિયંત્રીત કરવા માટે આરોગ્ય વિભાગ હસ્તકની સેવાઓ વધુને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે ત્યારે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ રૂપિયાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય ક્ષેત્રે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભરતનગર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવાયેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મોરબીના ભરતનગર અને જેતપર (મ) ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અરવિંદભાઇ વાંસદડીયા,  જિગ્નેશભાઇ કૈલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મામલતદાર જી.એચ. રૂપાપરા સહિતના અધિકારીઓ, પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)