Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જુનાગઢમાં સૌરાષ્ટ્રની શૌર્યગાથા કાર્યક્રમ યોજાયો

સંગીત નાટક અકાદમી તથા જુનાગઢ મહાનગર પાલિકા નાં સહયોગ થી  આધાર ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ગણતંત્ર દિવસ ની પુર્વ સંધ્યાએ શામળદાસ ગાંધી ટાઉન હોલ જુનાગઢ ખાતે સૌરાષ્ટ્રની સૌર્યગાથા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ મહાનગર માંથી પોતાના ક્ષેત્રમાં જુનાગઢ ગુજરાત પ્રદેશ અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તેવાં ૭૫ ગૌરવવંતા ભાઇઓ બહેનો ને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે સૌરાષ્ટ્ર ની સૌર્યગાથા રજૂ કરતો ભવ્ય લોકડાયરો યોજાયો હતો....

આ કાર્યક્રમમાં  ઇન્દ્રભારતી બાપુ, મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ, ડેપ્યુટીમેયર  હિમાંશુ પંડ્યા, ભાજપા શહેર પ્રમુખ  શશીકાકા, જીલ્લા ભાજપ પ્રમુખ  કીરીટભાઇ પટેલ, મહામંત્રી પુનિતભાઇ શર્મા, મારો બાળપણનો મિત્ર અને ભારતીય જનતા પાર્ટી ના મજબુત કાર્યકર રમેશ કોદાવલા, મનન અભાણી તથા  વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા  હતા.

આ સંપૂર્ણ કાર્યક્રમ  વિમલભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ ભટ્ટ,  દીપકભાઈ ભટ્ટ નો આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કુણાલ ચોવટીયા, ઇરફાન સીદ્દીકી, રવી ઠાકર, બંસીલ પાઘડાર, રવી રૈયાણી, અંકીત પટેલ, નિરૂપમ વ્યાસ તથા આધાર ચેરીટેબલ ટ્રસ્ટએ જહેમત ઉઠાવી હતી.

(1:11 pm IST)