Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જામનગરનાં નવાગામ પાસે અકસ્માતમાં ૪ના મોત

કાર અને બાઇકનું પડીકુ વળી ગયુઃ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

જામનગર :.. તસ્વીરમાં અકસ્માતનો ભોગ બનેલા મૃતકો તથા અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો તેમજ લોકોનાં ટોળા નજરે પડે છે. (તસ્વીર :- કિંજલ કારસરીયા -જામનગર)

જામનગર તા.૨૮: જામનગર-ખંભાળીયા હાઇ-વે ઉપર આવેલા શાપર પાસે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં નવાગામ અને કાના છીકરી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ તથા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઇકનંુ પડીકું વળી ગયું હતું. ઘટના બાદ આસપાસ ગામના લોકો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં નવાગામમા રહેતા કુલદીપ ગોરધનભાઇ સોનરત (ઉ.વ.૨૧) વિશ્વરાજસિંહ પ્રદિપસિંહ ઝાલા (ઉ.વ.૧૪) અને સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૨૨) સહિત ૪ નો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે.અકસ્માત ગ્રસ્ત એક યુવકને જામનગર સારવાર મળે તે પહેલા મોત થયું હતું.

આ અકસ્માત બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

(12:10 pm IST)