Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગાંધીધામમાં મહાદેવ મંદિર પાસે માતાએ ત્યજી દીધેલા નવજાત શિશુના મોતે સર્જી ચકચાર

ભુજ તા. ૨૮ : ગાંધીધામના સેકટર ૭ પાસે આવેલા મહાદેવ મંદિર નજીક ઝાડીમાંથી મૃત હાલતમાં મળી આવેલા નવજાત શિશુની લાશે ચકચાર સર્જી છે. અહીં દર્શને આવતા રાહદારીઓની નજર જતાં આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. કોઈના દુષ્કર્મનો અથવા તો કુંવારે જાતે જ જાતીય સબંધ બાંધ્યા બાદ માતા બનનારી યુવતી દ્વારા મમતાનું ગળું ઘોંટવાના આવા બનાવો વધી રહ્યા છે. આ બનાવમાં પોલીસે અજાણી માતા વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)