Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શ્રૃંગાર : પ્રજાસતાક પર્વની ઉજવણી

વેરાવળ - પ્રભાસપાટણ : પ્રથમ જયોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભકિત કરી દેશ વિદેશના યાત્રીકો ધન્ય બન્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદનમાન.ડો.શ્રી યશોધરભાઇ ભટ્ટ સાહેબ(નાણાભંડોળ અને સંકલન કર્તા)નાવરદ હસ્તે કરવામાં આવેલ,ત્યારબાદભારતમાતાનું પૂજન,શ્રીસરદાર પટેલશ્રી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી અધિકારીગણ/કર્મચારીઓ અને સિકયોરીટી સ્ટાફ,શ્રીસોમનાથ સુરક્ષાના અધિકારી શ્રી સહિત સાથે સ્ટાફ જેમાં પોલીસકર્મીઓ,એસ.આર.પી,જી.આર.ડીતથાઆર.એસ.એસ.સંદ્યના સભ્યો,તીર્થ પુરોહિતતથા બહોળી સંખ્યામાં યાત્રીકો પણ આ પ્રસંગે જોડાયા હતા.શ્રી આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો દ્વારા કરાટે,ડાન્સ અલગ-અલગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ.શ્રી સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્યના સભ્યો દ્વારા દ્યોષવાદન કરવામાં આવેલ. પ્રજાસતાક પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં વિશેષ ત્રિરંગા શ્રુંગાર કરવામાં આવ્યો હતો.

(11:36 am IST)