Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જામનગરમાં મોહસીન બારીયાની હત્યા

શરીર ઉપર ઇજાના નિશાનોઃ અજાણ્યા શખ્સોની શોધખોળ

જામનગરઃ તસ્વીરમાં મૃતક યુવકનો મૃતદેહ અને પોલીસ ટીમ નજરે પડે છે.

જામનગર, તા. ર૭ :.  જામનગરમાં મુસ્લિમ યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં આવેલ વિકટોરીયા પૂલ નીચેથી લુહારની વાડી પાસેથી  ર૮ થી ૩૦ વર્ષના મોહસીન મામદઘા બારીયા નામના યુવકનની હત્યા કરીને ફેંકી દીધેલ હાલતમા લાશ મળી આવી હતી.

જેથી ડોગ સ્કવોડ સહીતની ટીમ સાથે ડીવાયએસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બારદાનવાળા કોમ્પલેક્ષ વિકટોરીયા પૂલ પાસે રહેતા મોહસીન બારીયાની લાશની તપાસ કરતા તેના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા છે. જેથી પોલીસની પ્રાથમીક તપાસમાં આ યુવકની હત્યા થયાનું જાણવા મળ્યું છે અને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ખેતલાબાપા ચાની લારીમાં કામ કરતો આ યુવક ગઈકાલે રાત્રીના ૧૦ વાગ્યે નિકળ્યા બાદ આજે બપોરે તેમનો મૃતદેહ મળતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)