Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાણાવાવ બાર એશો.ના પ્રમુખપદે જગદીશ ટી.આચાર્ય બીનહરીફઃ સતત પાંચમી ટર્મ માટે ચૂંટાયા

રાણાવાવ તા.ર૭: રાણાવાવ બાર. એસો.ના વર્ષ-૨૦૧૮ના પ્રમુખપદ માટે સતત પાંચમી ટર્મ માટે રાણાવાવ તાલુકા ભાજપના લીગલ સેલના કન્વીનર અને વરીષ્ઠ ધારાશાસ્ત્રી જગદીશ આચાર્યના શીરે મુકવામાં આવ્યો છે. બિનહરીફ ચૂંટાયા છે.

ઉપપ્રમુખ પદે હેંમત ડોડીયા, સેક્રેટરી રાજેન્દ્રસિંહ જેઠવા, જો. સેક્રેટરી માધવજી ડોડીયા, ટ્રેજરર અશ્વિન કોરીયા, જો. ટ્રેજરર મુનીર પીરઝાદા, કારીબરી મેમ્બરોમાં કે. ડી. પીરઝાદા, જે. એમ. ગઢીયા, કે. વી. ઓડેદરા, શ્રી એસ. એ. મંધેરાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. વકીલોની એકતા, કોર્ટ સ્ટાફ અને વકીલો વચ્ચે સેતુ માટે હંમેશને માટે પ્રયત્નશીલ, રાણાવાવ કોર્ટ લીગલ એઇડના મેમ્બર, ભાજપા લીગલ શેલના કન્વીનર, શહેર ભાજપા કારોબારીના મેમ્બર, પેન્શન સમાજના માનસ સલાહકાર, તથા સામાજીક કાર્યકર તરીકે સેવા બજાવતા જગદીશ આચાર્યની હોદ્દેદારોની નીમણુંકને બાર સભ્યો, કોર્ટ સ્ટાફ, રાજકીય આગેવાનો, સ્નેહીજનો તથા મીત્રોએ શુભેચ્છા સાથે આવકાર્યા હતા.

ગોવિન્દ પ્રભુ સેવા મંડળ દ્વારા ગુણગાન મહોત્સવ

રાણાવાવમાં ત્રિદિવસીય ભગવત ગુણગાન મહોત્સવનું આયોજન શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ તરફથી કરવામાં આવેલ છે. જેમાં યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોજયશ્રી વચનામૃતનું રસપાન કરાવશે. દરેક વૈષ્ણવોએ આ લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાયું છે.

વચનામૃતનો કાર્યક્રમ તા.૪ બપોરે ૩ થી ૬-૦૦ તા.પ બપોરે ૩ થી ૬, કલાકે તથા તાથ૬ બપોરે ૩ થી ૬, ગોવિંદ કુંજ, શકિત હોસ્પીટલ સામે મેદાન રેલ્વે સ્ટેશન ખાતે રાખેલ છે.

રામાનંદીય યુવા જ્ઞાતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત

રામાનંદીય યુવા સેવા સમિતિ દ્વારા પ્રથમ સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે રામાનંદીય યુવા સેવા સમિતિના પ્રમુખશ્રી  કિશોરભાઇ એચ. નિમ્બાર્ક તથા ઉપપ્રમુખશ્રી ભાવેશભાઇ વી. કુબાવતનો સંપર્ક કરવો. સમુહ યજ્ઞોપવિત પોરબંદર જીલ્લા પુરતું હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)