Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાલાવડ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા મગફળીની ખરીદી અને ટેકાના ભાવ અંગે રસ્તા રોકો

 કાલાવડઃ કાલાવડ ખેડુત હિતરક્ષક સમિતિના અગ્રણ્ય રામદેવસિંહ જાડેજા અને પ્રવિણભાઇ પડારીયાના અધ્યક્ષ સ્થાને ખેડુતોની મગફળીની ખરીદી અને ટેકાના ભાવ મળવા તેમજ પાક વિમો તેમજ મગફળીના બારદાન અંગે પડતી મુશ્કેલીના પ્રશ્ને રેલી સ્વરૂપે મામલતદાન કચેરી પાસે ૧૦ થી ૧પ મીના રસ્તા રોકી પોતાની માંગણી સંતોષવા આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આ સમિતિ દ્વારા કાર્યક્રમની કોઇપણ જાણ વગર રેલી અને રસ્તા રોકો આંદોલન થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ૧પમીના સુધી ચક્કાજામ થતા વાહનોની લાંબી કતાર લાગી હતી.

(12:06 pm IST)