Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વાંકાનેર વાલ્મીકી સમાજ દ્વારા સલમાનખાનનું પુતળુ બાળી આવેદન આપ્યું

વાંકાનેર, તા. ર૭ : વાંકાનેર વાલ્મીકી સમાજ દ્વારા બાઇક રેલી, સલમાનખાનું પુતળુ બાળી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.

ફિલ્મ અભિનેતા સલમાનખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજ માટે અભદ્ર શબ્દો બોલી સમસ્ત વાલ્મીકી સમાજની લાગણી દુભાવી છે.

વાંકાનેર વાલ્મીકી સમાજ પંચના પટેલ મોહનભાઇ ગોકળભાઇ સોલંકી, પ્રમુખ ચમનજભાઇ વાઘેલા, તાલુકા પ્રમુખ માવજીભાઇ વાઘેલા, હસમુખભાઇ ઝાલા, કુંદન મણીલાલ સોલંકી, ગોવિંદભાઇ ઝાલા, નટુભાઇ સારેસા, દિલીપભાઇ વાઘેલા, નગર પાલિકાના સદસ્ય મનુભાઇ સારેસા સહિતના અગ્રણીઓ યુવાનો કુંભારપરા ચોકમાં એકત્ર થયા હતાં.

જયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા અને વંદન કરી 'સલમાનખાન હાય હાય'ના નારા સાથે બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી માર્કેટ ચોકમાં પહોંચેલ જયાં ભાજપ અગ્રણી અને પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી તથા મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દુભા જાડેજાએ વાલ્મીકી સમાજની રેલીને સમર્થન આપી સલમાનખાના વાણી-વિલાસની ઝાટકણી કાઢી હતી અને સલમાનખાન જાહેરમાં વાલ્મીકી સમાજની માફી માંગે તેવી માંગણી કરી હતી.

જુતાનો હાર પહેરાવેલ સલમાનખાનના પુતળાને યુવાનોએ ઢીકા પાટુના ગડદા મારી રોષ વ્યકિત કર્યો હતો અને બાદમાં પુતળાને કાંડી ચાપી દહન કર્યું હતું.

બાદ બાઇક રેલી રાજકોટ રોડ પર સેવા સદન ખાતે પહોંચી હતી જયાં પ્રાંત અધિકારીશ્રીને સંબોધેલ. આવેદનપત્ર મામલતદારશ્રી પટેલને આપ્યું હતું.

(12:05 pm IST)