Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માતાની સારવાર અપાવીને પરત ફરતા રાજપુત પરિવારને અકસ્માત નડયોઃ વૃધ્ધાનું મોત

બગોદરા હાઇવે ઉપર જુના નાવડા ગામના પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા દુર્ઘટના સર્જાઇ

વઢવાણ તા.ર૭ : માતાને સારવાર અપાવવા માટે અમદાવાદ ગયેલો પરિવાર માતાને સારવાર અપાવી પરત ફરી રહ્યો હતો તેવા જ સમયે બગોદરા હાઇવે ઉપર સીલીન્ડરો ભરીને જતા ટ્રકના ચાલકે સેન્ટ્રો કારને જોરદાર ટક્કર લગાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. જયારે ચાર વ્યકિતઓને ઇજા પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

જુના નાવડા ગામના રાજપુત પરિવારના સભ્યો અમદાવાદ માતાને સારવાર અપાવી અને અમદાવાદથી પરત ફરતા સમયે બગોદરા પાસેના ગુંદી ગામના પાટીયા પાસે સેન્ટ્રો કાર સાથે એચ.પી.ના ગેસ સીલીન્ડરો ભરેલ ટ્રક સાથે સેન્ટ્રો કાર સામ-સામા ધડાકાભેર અથડાયા હતા ત્યારે સારવાર અપાવી પરત ઘરે લઇને જતી માતાનું આ અકસ્માતમાં મોત નિપજેલ જેમનુ નામ લીલાબેન મોબતસંગ ભાડલીયા (ઉ.વ.૭ર) જુના નાવડા બરવાળા ગામના રહેવાસીનું મોત નિપજેલ હતુ.

જયારે ચાર વ્યકિતઓને પણ આ અકસ્માતના બનાવમાં ઇજા પહોંચેલ હતી. જેમાં વિક્રમભાઇ મોબતસિંહ ભાડલીયા (ઉ.વ.૩૮), દિગ્વિજયસિંહ ભગવતસિંહ ભાડલીયા (ઉ.વ.ર૧), અંજનીબેન ભગવતસિંહ ભાડલીયા (ઉ.વ.૪૦), ભગવતસિંહ મોબતસિંહ ભાડલીયા (ઉ.વ.૪૩) સહિતના ચારને ઇજા પહોંચી હતી. જેઓ ૧૦૮ના માધ્યમ થકી બગોદરા સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે હાલ ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી ધરી છે.

(11:18 am IST)