Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જામજોધપુરના પાટણમાં આડા સંબંધના કારણે હત્યા

આદિવાસી પરિવારમાં અરેરાટીઃ કુટુંબી વેવાણ સાથે આડો સંબંધ હોવાની શંકાથી હીરા બાવરીયાએ લાકડીના ઘા ફટકારી સુખલાલને મોતને ઘાટ ઉતાર્યો

જામજોધપુર-જામનગર તા. ર૭ :.. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં આડા સંબંધની શંકામાં હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે જામજોધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં શાંતાબેન સુખલાલ દેવનભાઇ ઠાકુર એ ફરીયાદ નોંધાવી છે કે  તા. રપ-૧ર-૧૭ ના પાટણ ગામે ફરીયાદીના મરણ જનાર પતિ સુખલાલ ઠાકુરને ફરીયાદીની કુટુંબી વેવાણની સાથે આડા સંબંધે હોવાની શંકા રાખી આ કામે ના આરોપી હીરાભાઇ બાવરીયા રે. પાટણ ગામ તા. જામજોધપુર વાળાએ ફરીયાદીના પતિને લાકડાના બડીકાથી માથાના ભાગે માર મારી ઇજા કરી મોત નિપજાવી ગુનો કરી મેજીસ્ટ્રેટ ડી. એમ.  સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(11:18 am IST)