Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજુલામાં યમરાજનું પેટ્રોલીંગ : બેના મોત

અમરેલી, તા. ર૭ : રાજુલામાં યમરાજે આંટાફેરા માર્યા હોય તેમ એકજ દિવસમાં દિવસમાં બે શખ્સોના અલગ અલગ કારણોથી મોત થયા હતાં.

રાજુલામાં રહેતા બાલતાપ્રસાદ રામ (ઉ.વ.૪૦) ઘણા સમયથી કઇ કામ ધંધો ન હોય જેના જેથી બેકારીના કારણે પોતાની મેળે ઝાડ સાથે સાડી બાંધી ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

જયારે રાજુલાના ખંભાળીયામાં રહેતા બાલુભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૬૦) છેલ્લા બે માસથી શ્વાસની બિમારી હોય જેના કારણે શ્વાસ ચડી જતા તેમનું મોત નિપજયું હતું.

(11:16 am IST)