Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ધોરાજીમાં આયુર્વેદિક ઉકાળાનો લાભ લેતા શહેરીજનો

 ધોરાજી : અહીયા જય વિર ભુલકા હનુમાનજી ગરબી દ્વારા આ વર્ષે પણ ડો. મેહુલભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ કરાતા જ લોકો લાભ લેવા પહોંચી રહ્યા છે. સેવા કાર્યને સફળ બનાવવા દલસુખભાઇ વાગડીયા, ધીરેન્દ્રભાઇ વૈષ્ણવ, દિનેશભાઇ રાખોલીયા, જેન્તીભાઇ માવાણી, ચીમનભાઇ રાખોલીયા, સહીતના જહેમત શીલ છે. ઉકાળાનું વિના મુલ્યે વિતરણ બાવલા ચોક અને જમનાવડ રોડ ખાતે ગોપી પાન પાસે દરરોજ સવારે ૬ થી૭ દરમિયાન ચાલુ છે. સતત એક ૧ મહીના સુધી ચાલનાર હોવાથી સૌને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. તસ્વીરમાં ઉકાળાનો લાભ લેતા લોકો દર્શાય છે.

(11:16 am IST)