Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

આટકોટના ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન

આટકોટ તા.ર૭ : શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ આટકોટ દ્વારા સતત નવ સફળ સમૂહ યજ્ઞોપવિતોત્‍સવના સફળ આયોજન પુર્ણ કર્યા પછી સફળતાની સતત સીડી ચડવાના પ્રયત્‍નરૂપે ઉપરોકત ટ્રસ્‍ટ દ્વારા આગામી તા.ર૧-ર-૧૮ને બુધવારના રોજ દસમાં સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવેલ છે.

સમૂહ યજ્ઞપવિતના આયોજનમાં જોડાવા ઇચ્‍છુક બટુકોના વાલીઓનો ઉપરોકત ટ્રસ્‍ટ દ્વારા જે વ્‍યવસ્‍થા ફોર્મ ભરવા માટે કરવામાં આવેલ છે.

બે ફોટા બટુકના સાથે રૂબરૂ આવી આગામી તા.ર૮-૧-૧૮ પહેલા ફોર્મ ભરી દેવા, ફોર્મ ભરવા માટે આશિષભાઇ ભટ્ટ નવાગામ-૯૮૭૯૬-૮૫૦૦૩, પંકજભાઇ ચાંવ જસદણ- ૯૪૨૬૯-૮૦૬૬૦, હિરેનભાઇ પંચોલી આટકોટ ૯૯૦૮૫-૨૫૦૭૫ તેમજ રાજકોટમાં કેતનભાઇ બોરીસાગર ૯૮૨૫૩-૮૬૨૨૭ અને વધુમાં વિગત માટે વેતનભાઇ પી. પંચોલી ૯૪૨૬૨-૨૫૦૭૫નો સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(10:02 am IST)