Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી કોરોના બાદ પ્રથમ વખત પ્રતાપ વિલાસ પેલેસ ખાતે પધારતા પાઘડી પહેરાવીને સ્વાગતઃ મર્સીડીસ કાર ૫ ડીસેમ્બરે કાર રેલીમાં જાડાશે

જામનગરઃ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી કોરોનાકાળ દરમિયાન બહાર નિકળ્યા ન હતા. જા કે કોરોના કેસ ઘટતા કોરોના બાદ પ્રથમ વખત બહાર નિકળ્યા હતા. તા. ૨૨ નવેમ્બરના રોજ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ ખાતે તેઓ આવ્યા હતા. તેઓનું તેમના સંબંધીઓએ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. તેઓ જે મર્સીડીસ કારમાં બેઠા છે તે કાર તા. ૫ ડીસેમ્બરના રોજ મુંબઈ ખાતે મર્સીડીસ કંપની દ્વારા આયોજીત કાર રેલીમાં જાડાશે. જામસાહેબ આ રેલીમાં નહી જાડાઈ. જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબીયત સારી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(1:47 pm IST)