Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

હળવદના કોયબામાં પાણીમાં પગ લપસતા ડુબી જવાથી ૫૫ વર્ષના વણઝારીબેનનું મોત

  ( દીપક જાની દ્વારા )હળવદ,તા.૨૭ :  હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયાથી કોયબા જવાના રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં  બપોરના સમયે શકિતનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ ઉ.૫૫ કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા તે વેળાએ વણઝારીબેનનો પગ લપસતા તેઓ કેનાલમાં ગરકાવ થઇ ગયા હતા જોકે થોડી કલાકો બાદ વણઝારીબેનની લાશ કેનાલમાં તરતી હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતાં તેઓ દ્વારા આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી હતી અને આ બનાવની જાણ પોલીસને થતાં મહેશભાઈ , લીંબાભાઇ ,મયુરભાઈ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની લાશને પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી તેઓના પરિવારજનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે. 

(11:50 am IST)