Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વ્યાજખોરોના ત્રાસથી જોષી પરિવારે ઝેરી દવા ખાધીઃ બેના મોત

ભોપાલ, તા.૨૭: મધ્યપ્રદેશના ભોપાલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઓટો પાર્ટસના વેપારી સંજીવ જોષીએ પરિવાર સહીત ઝેરીલો પદાર્થ ખાઇ લેતા ચકચાર મચી ગયેલ. સંજીવની બે પુત્રીઓએ સામુહીક આત્મહત્યાનો વિડીયો સોશ્યલ મિડીયા ઉપર શેર કર્યો હતો. આ ઘટનામાં સંજીવના પત્નિ અને નાની પુત્રીનું મોત થયેલ. જયારે મોટી પુત્રીની હાલત ગંભીર છે. પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર આરોપી બબલી અને તેની પુત્રીની ધરપકડ કરી છે.

(11:48 am IST)