Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧ જ દિ'માં ૬ મોત કોરોનાના વધુ ૧૭ કેસ

સુરેન્દ્રનગર, વઢવાણ, થાનગઢ, રોજાસરના સિનિયર સિટીઝનોના મૃત્યુ થતા વૃધ્ધોના માથે જોખમ વધ્યાની દહેશત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૦૩૯ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે એક જ દિવસમાં જિલ્લામાં ૬ વ્યકિતના કોરોનાથી મોત પણ નીપજયા હતા જેમાં સુરેન્દ્રનગરના ૭૭ વર્ષ પુરૂષ થાનગઢ, ૭૧ વર્ષ મહિલા, સુરેન્દ્રનગર, ૭૫ વર્ષ મહિલા ૮૦ ફુટ રોડ, વઢવાણ, ૬૦ વર્ષ પુરૂષ સુરેન્દ્રનગર, ૫૦ વર્ષ મહિલા મું.રોજાસર, તા.લીંબડી, ૯૦ વર્ષ પુરૂષ વઢવાણનો સમાવેશ થાય છે.આ દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

(11:49 am IST)