Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બોટાદના લાઠીદડ ગામે તળાવમાં ડુબી જતા બે બાળકોના કરૂણ મોત

ભાવનગર તા.ર૭ : લાઠીદડ ગામે તળાવમાં ડુબી જતા બે બાળકોના મોત નિપજતા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

આ કરૂણાતીકાની મળતી વિગતો મુજબ બોટાદના લાઠીદડ ગામે સાળંગપુર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેના તળાવમાંથી લાઠીદડ ગામના સંદિપ સવજીભાઇ વાવડીયા (ઉ.૧ર) તથા કિસન નવઘણભાઇ બાોળીયા (ઉ.૧ર) નામના બે બાળકોના મૃતદેહ મળી આવતા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મૃતક બન્ને બાળકો ગઇ કાલથી ગુમ થય હતા અને પરિવારજનો શોધખોળ કરતા હતા દરમ્યાન આજે સવારે તળાવમાંથી બન્ને બાળકોના મૃતદેહો  મળી આવતા પરિવારજનો ભારે હતપ્રત બની ગયા હતા આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:37 am IST)