Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

નર્મદાના અધિકારીઓ દ્વારા પગલા ભરાતા કાલે ખેડૂતો દ્વારા લખતર બંધ

(ફઝલ ચૌહાણ દ્વારા)  વઢવાણ તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે ખેડૂતોના પાણી પ્રશ્નને લઇને નર્મદાના અધિકારીઓ દ્વારા પગલા લેવામાં આવતા લખતર તાલુકાના ખેડૂતો અને નર્મદાના અધિકારીઓ સામ સામા આવી ગયા હોવાની ઘટનાનું નિર્માણ થવા પામ્યું છે.

ત્યારે ખેડૂતો દ્વારા લખતરના તમામ તાલુકાના ખેડૂતો ભેગા મળી અને કાલે તા. ૨૮ના રેલી યોજી આવેદન પત્ર પાઠવી અને લખતર ગામને સજજ્ડબંધ રાખવા માટે અપીલ કરવામાં આવેલ છે.

રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ જોડાનાર હોવાનંુ જાણવા મળેલ છે.(૧.૨૮)

(3:48 pm IST)