Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મીટીંગમાં પત્રકારોને પ્રવેશ ન અપાતા રોષઃ જૂનાગઢમાં મીડીયા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરીમાં ધરણા

તસ્વીરમાં પત્રકારોને મીટીંગમાં પ્રવેશ ન આપતા પત્રકારોએ ધરણા કરીને વિરોધ ઠાલવ્યો હતો (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં દેવદિવાળીથી શરૂ થતી પરીક્રમાના આયોજન અંગે આજે બપોરે જૂનાગઢ ખાતે કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બંધ બારણે યોજાતા અને મીટીંગમાં મીડીયા કર્મચારીઓને પ્રવેશ ન આપતા મીડીયા કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ધરણા કરીને વિરોધ ઠાલવ્યો હતો.

ગીરનાર પરીક્રમા સંદર્ભે કલેકટરના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો અને આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં મીડીયા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેના કારણે નારાજ થયેલા પત્રકારોએ ધરણા કરીને રોષ ઠાલવ્યો હતો.

(2:51 pm IST)